અંકલેશ્વર: વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિરનું કરાયુ આયોજન

વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ BAPS  સ્વામી નારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ

New Update
  • આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી

  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • ધ્યાન શિબિરનું આયોજન કરાયું

  • સાધકો ધ્યાન શિબિરમાં જોડાયા

  • યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત ધ્યાન શિબિર યોજાઈ જેનો લોકોએ લાભ લીધો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ BAPS  સ્વામી નારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા કો-ઓર્ડીનેટર ભાવિનીબેનના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વરના યોગ કોચ દ્વારા યોગાસન અંગે માહિતી આપી વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા.આ શિબિરમાં સમસ્ત યોગ બોર્ડ કો-ઓર્ડીનેટર, કોચ, ટ્રેનર અને સાધકો તેમજ અશોક ઓઝા,વીરેન્દ્ર ભોરે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.