અંકલેશ્વર : માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પૌરાણિક અંબાજી મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક

અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે.ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર

New Update
  • ચૈત્રી નવરાત્રીનો ધર્મભીનો પ્રારંભ

  • ચૌટા બજારમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવજી સાથે છે અંબા માતાનું મંદિર

  • પૌરાણિક અંબા માતાનું મંદિર ભક્તો માટે છે આસ્થા સ્થાનક

  • નવરાત્રી દરમિયાન મંદિરમાં ઉમટે છે ભક્તોની ભીડ

  • માતા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની છે માનતા   

અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે.ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર સાથે પ્રાચીન અંબાજી માતાનું મંદિર પણ ભક્તો માટે આસ્થા સ્થાનક છે,ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરે છે.

આસો અને ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહ્યું છે.જેમાં માતાજીની આરાધના અનુષ્ઠાન માટે ચૈત્રી નવરાત્રીનું ભક્તોમાં ધાર્મિક મહાત્મ્ય વધી જાય છે.ત્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતેના પૌરાણિક શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રાચીન અંબા માતાનું મંદિર પણ છે,જે મંદિરનો જીર્ણોદ્ધાર 58 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો,નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવે છે.અને માતાજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)