અંકલેશ્વર : માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પૌરાણિક અંબાજી મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક

અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે.ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર

New Update
  • ચૈત્રી નવરાત્રીનો ધર્મભીનો પ્રારંભ

  • ચૌટા બજારમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવજી સાથે છે અંબા માતાનું મંદિર

  • પૌરાણિક અંબા માતાનું મંદિર ભક્તો માટે છે આસ્થા સ્થાનક

  • નવરાત્રી દરમિયાન મંદિરમાં ઉમટે છે ભક્તોની ભીડ

  • માતા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની છે માનતા   

Advertisment W3.CSS

અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે.ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર સાથે પ્રાચીન અંબાજી માતાનું મંદિર પણ ભક્તો માટે આસ્થા સ્થાનક છે,ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરે છે.

 આસો અને ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહ્યું છે.જેમાં માતાજીની આરાધના અનુષ્ઠાન માટે ચૈત્રી નવરાત્રીનું ભક્તોમાં ધાર્મિક મહાત્મ્ય વધી જાય છે.ત્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતેના પૌરાણિક શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રાચીન અંબા માતાનું મંદિર પણ છે,જે મંદિરનો જીર્ણોદ્ધાર 58 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો,નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવે છે.અને માતાજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે.

Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.