અંકલેશ્વર : માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પૌરાણિક અંબાજી મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક

અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે.ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર

New Update
  • ચૈત્રી નવરાત્રીનો ધર્મભીનો પ્રારંભ

  • ચૌટા બજારમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવજી સાથે છે અંબા માતાનું મંદિર

  • પૌરાણિક અંબા માતાનું મંદિર ભક્તો માટે છે આસ્થા સ્થાનક

  • નવરાત્રી દરમિયાન મંદિરમાં ઉમટે છે ભક્તોની ભીડ

  • માતા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની છે માનતા   

અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે.ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર સાથે પ્રાચીન અંબાજી માતાનું મંદિર પણ ભક્તો માટે આસ્થા સ્થાનક છે,ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરે છે.

આસો અને ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહ્યું છે.જેમાં માતાજીની આરાધના અનુષ્ઠાન માટે ચૈત્રી નવરાત્રીનું ભક્તોમાં ધાર્મિક મહાત્મ્ય વધી જાય છે.ત્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતેના પૌરાણિક શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રાચીન અંબા માતાનું મંદિર પણ છે,જે મંદિરનો જીર્ણોદ્ધાર 58 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો,નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવે છે.અને માતાજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.