અંકલેશ્વર: નગર સેવા સદનને ગતવર્ષની સરખામણીએ વેરાની વસુલાત ફળી, આવકમાં સરેરાશ 2 ટકાનો વધારો !

અંકલેશ્વર નગરપાલિકાના ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની વસુલાતમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે.

New Update

આવકમાં સરેરાશ 2 ટકાનો વધારો, હાઉસ ટેક્સમાં 3 ટકા જેટલો વધારો, વ્યવસાય વેરામાં 1.5 ટકાનો વધારો

Advertisment

અંકલેશ્વરમાં બાકી પડતા વેરાની વસુલાત માટે તંત્ર દ્વારા કડક રાહે કામગીરી કરવામાં આવી હતી જેમાં નોટીસ ફટકારવાની સાથે સીલિંગ અને પાણી જોડાણ કાપવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે પાછલા નાણાકીય વર્ષમાં નગરસેવા સદનની વેરાની આવકમાં વધારો થયો છે.

અંકલેશ્વર નગરપાલિકાના ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરાનુ કુલ માંગણુ રૂ.1.65 કરોડ હતુ જેની સામે કુલ રૂ.1.43 કરોડની વસુલાત થતા અંદાજિત 87.12 ટકા વસુલાત થઈ છે. ગત વર્ષે 85.86 ટકા વસુલાત થઈ હતી ત્યારે ગત વર્ષની સરખામણીમાં વ્યવસાયવેરાની આવકમાં 1.26 ટકાનો વધારો થયો છે.

તો બીજી તરફ હાઉસ ટેક્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ માંગણુ રૂ.12.22 કરોડ હતુ જે સામે કુલ રૂ.9.16 કરોડની વસુલાત થતા કુલ વસુલાત 74.92 ટકા થઈ છે.ગત વર્ષે હાઉસ ટેક્સમાં 71.98 ટકા વસુલાત થઈ હતી જેની સરખામણીએ હાઉસ ટેક્ષની આવકમાં 2.94 ટકાનો વધારો થયો હતો.

અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની આવક થયેલા વધારાને કારણે આગામી વર્ષમાં પાલિકાના પ્રજાલક્ષી કાર્યોને વધુ સુચારુરૂપે ચલાવવા આયોજન કરી શકાશે.

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment