અંકલેશ્વર : યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ

New Update

GIDC સ્થિત યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે આયોજન

નવરાત્રિ મહોત્સવ નિમિતે ગરબાનું ભવ્ય આયોજન કરાયું

કંપનીના ડિરેક્ટર અનુરિત જોલી દ્વારા નવરાત્રિનું આયોજન

યુશકા કોસ્મેટિક્સ કંપનીનો સ્ટાફ DJના તાલે ઝૂમી ઉઠ્યો

પ્રોલાઈફ ઇન્ડસ્ટ્રીઝના MD કરણ જોલી રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે

ત્યારે અંકલેશ્વરની યુશકા કોસ્મેટિક્સ કંપનીના ડિરેક્ટર અનુરિત જોલી દ્વારા સતત બીજા વર્ષે પણ નવરાત્રિ મોહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુશકા કોસ્મેટિક્સ કંપનીનો તમામ સ્ટાફ DJના તાલે ગરબે ઝૂમી ઉઠ્યો હતો. આ પ્રસંગે પ્રોલાઈફ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીશાક્ષી જોલી સહિતનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુશકા કોસ્મેટિક્સ કંપનીના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગના પ્રશ્ને વિરોધ પ્રદર્શન, ચક્કાજામનો કરાયો પ્રયાસ

ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો

New Update
  • ભરૂચના નેત્રંગમાં વિરોધ

  • કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • બિસ્માર માર્ગના પગલે પ્રદર્શન

  • ચક્કાજામનો પ્રયાસ કરાયો

  • માર્ગના સમારકામની માંગ

ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચના નેત્રંગ તાલુકાના કવચિયાથી મોવી,રાજપીપળાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.જેને પગલે વાહન ચાલકો સહિત ગ્રામજનો હાલાકી વેઠી રહ્યાં છે.આ માર્ગોના પેચવર્ક માટે  NHAI દ્વારા 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ પેચવર્કના નામે રૂપિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ચાઉ કરી ગયા હોવાના કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.જ્યારે 55 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગ પણ હાલ ચોમાસામાં બિસ્માર બન્યા છે.
એક તરફ ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલી રહી છે.જે માર્ગ એક તરફ તૂટી રહ્યો છે.જેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ થયો હોવાના આક્ષેપ સાથે જેતે સમયે ખાતમુહૂર્ત કરનાર નેતાઓએ કામગીરી દરમિયાન કામનું નિરીક્ષણ કર્યું નથી જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે.ત્યારે આ ખાતમુહૂર્ત કરનાર નેતાઓએ તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી સબક શીખવાડવા સાથે બંને માર્ગોની કામગીરીમાં તપાસ બેસાડવા સહિત પેચવર્કની કામગીરી નહીં કરવામાં આવે તો રોજ ચક્કજામ અને કચેરીઓની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.