અંકલેશ્વર : બેરોજગારોના વાયરલ વિડીયો મામલે તંત્રનું સત્તાવાર નિવેદન, કંપનીએ કર્યું નિયમોનું ઉલ્લંઘન : રોજગાર કચેરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તા. 9મી જુલાઇના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારના અનુભવ આધારીત જ્ગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી. જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. જે બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કેજે મુજબ અંકલેશ્વરના ઓપન ઇન્ટરવ્યુમાં 500થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા.

આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા હત તા. 7મી જુલાઇના રોજ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી  હતી. જોકે500થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હતાત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી. કંપની દ્વારા આ જ્ગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી-ભરૂચ ખાતે જાણ કરવામાં આવી નહોતી. ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કર્યું હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઇ અસર થાય તેમ ન હતું. કંપની દ્વારા ખાલી જ્ગ્યા અંગેના કમ્પલસરી નોટીફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટની કલમ હેઠળ જાણ કરવામાં આવી ન હોયજેથી નિયમનો ઉલ્લંઘન કર્યું હોવાનું સ્પષ્ટ જણાય આવ્યું છે. આ સાથે જ કંપનીએ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઇ ભરતીનું આયોજન કરવું જોઇતું હતું. સદર આયોજનમાં 500થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોયત્યારે પોલીસ બંદોબસ્ત કેસિક્યુરિટી ગાર્ડ જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવેલ જણાતી નહોતી. જેથી તે દિશામાં પણ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તપાસ હાથ ધરવામાં આવનાર છે.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.