અંકલેશ્વર:વિજયા દશમીના પર્વ નિમિત્તે વિવિધ પોલીસ મથકમાં શસ્ત્રપૂજા કરવામાં આવી

અસત્ય પર સત્યની વિજયના પર્વ વિજયા દશમીની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા શસ્ત્ર પૂજાના કાર્યક્રમો યોજાયા

New Update

અસત્ય પર સત્યના વિજયનું પર્વ

દશેરાના પર્વની ઠેર ઠેર ઉજવણી

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ઉજવણી કરાય

શસ્ત્રપૂજાના કાર્યક્રમો યોજાયા

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

આજરોજ વિદ્યા દશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકમાં પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. અસત્ય પર સત્યની વિજયના પર્વ વિજયા દશમીની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા શસ્ત્ર પૂજાના કાર્યક્રમો યોજાયા હતા.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ભુતીયા તેમજ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.શાસ્ત્રોક્તિ વિધિ અનુસાર પોલીસ દ્વારા શસ્ત્રનું પૂજન કરાયું હતું.
આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર પંથકમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા કામના કરવામાં આવી હતી
Latest Stories