-
અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ
-
વોર્ડ નંબર 1માં પેવર બ્લોક બેસાડાશે
-
કૃષ્ણ નગર-મોદી નગરમાં કામગીરી કરાશે
-
રૂપિયા 16 લાખનો ખર્ચ કરવામાં આવશે
-
ન.પા.પ્રમુખના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત
અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં આવેલા કૃષ્ણનગર, મોદીનગર અને રામ વાટીકામાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રૂપિયા 16 લાખના ખર્ચે આ વિસ્તારોમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે.