New Update
/connect-gujarat/media/media_files/2025/09/05/police-deployment-2025-09-05-17-18-58.jpg)
નર્મદા નદીમાં પાણીના સ્તરમાં વધારો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ પર લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. શુક્રવારે નર્મદા નદીનું લેવલ ભયજનક 24 ફૂટની સપાટીથી 3 ફૂટ ઉપર 27 ફૂટને પાર પહોંચ્યું હતું. પાણીનો આ નજારો જોવા અને ફોટા-વિડિઓઝ લેવા મોટી સંખ્યામાં લોકો બ્રિજ નજીક ભેગા થયા હતા. ભીડને કારણે સલામતીની દૃષ્ટિએ અંકલેશ્વર છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તથા ભીડ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે.સ્થાનિક તંત્ર મુજબ નદીના પાણીનું લેવલ હજી થોડું વધવાની શક્યતા છે. જેના કારણે નાગરિકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતા સૂચનોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Latest Stories