અંકલેશ્વર: તહેવારોના સમયમાં પરપ્રાંતીય વસાહતોમાં પોલીસનું મેગા કોમ્બિંગ, વાહન ચેકીંગ પણ શરૂ કરાયુ

આગામી તહેવારોના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરની પરપ્રાંતીય વસાહતોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

Advertisment

અંકલેશ્વરમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયુ

પર પ્રાંતીય વસાહતોમાં મેગા કોમ્બિંગ

વાહન ચેકીંગ પણ કરવામાં આવ્યું

જાહેરનામા ભંગના કેસ કરાયા

આગામી તહેવારોના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરની પરપ્રાંતીય વસાહતોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું
Advertisment
ભરૂચ પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંકલેશ્વરના પરપ્રાંતિય વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા અંકલેશ્વર "બી" ડીવીઝન, અંકલેશ્વર રૂરલ, રાજપારડી, ઉમલ્લા તથા ઝગડિયા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના 4 પોલીસ ઇન્સપેકટર, 9 પોલીસ સબ ઇન્સપેકટર તથા ૬૯ પોલીસ કર્મચારીઓની જુદી-જુદી કુલ ૦૬ ટીમો બનાવી અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના મીરાનગર, લક્ષ્મણનગર, બાપુનગર, સારંગપુર તથા ઔધ્યોગીક વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જાહેરનામા ભંગના 33 કેસ, એમ.વી.એક્ટ મુજબ 21 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા, પ્રોહીબિશનના 11 કેસ કરવામાં આવ્યા હતા તો 54 ગોડાઉનની ચકાસણી કરવામાં આવી હતી.10 અવાવરું જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. પોલીસના ચેકિંગના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
આ તરફ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પણ તહેવારોને ધ્યાનમાં રાખીને મોટા પાયે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાહનોના દસ્તાવેજો લાયસન્સ સહિતની ચકાસણી કરવામાં આવી હતી
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment