અંકલેશ્વર: ધોળે દિવસે ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઇ રહેલ આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા !

અંકલેશ્વરમાં મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • અંકલેશ્વર શહેરમાં બન્યો હતો બનાવ

  • જ્યોતિ ટોકિઝ નજીક ચેઇન સ્નેચિંગનો બનાવ

  • મહિલાને બનાવાય હતી નિશાન

  • પોલીસે આરોપીઓની કરી ધરપકડ

  • ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા

અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈને ઉભેલ મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના હાંસોટ તાલુકાના અણીયાદ્રા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબહેન  પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા.જેઓ ખરીદી કરી જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઇને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા ઇસમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની રૂ.1.26 લાખ સોનાની ચેઇન તોડી ફરાર થઇ રહ્યો હતો.તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એક ઇસમે ટોળાને ચપ્પુ બતાવી બાઈક લઈ હાંસોટ તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઈક સવાર સાથે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો હતો પણ તેઓ ચકમો આપી ભાગી ગયા હતા.તે સમયે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપી અને મૂળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓ ચોરીની બાઈક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.