/connect-gujarat/media/media_files/2025/05/01/6wvKq0JrG7wTKCTLmer2.jpg)
સૂર્યનારાયણ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમા આગના બનાવોમાં વધારો થયો છે આજરોજ અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.
આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવાયો હતો.વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવાનો વારો આવ્યો હતો.