આજે તારીખ 26મી જાન્યુઆરી
વીર બાળ દિવસની ઉજવણી
ગુરુદ્વારામાં યોજાયા કાર્યક્રમો
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ધારાસભ્ય સહિતના આગેવાનો રહયા ઉપસ્થિત
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજી ના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજરોજ અંકલેશ્વરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.