/connect-gujarat/media/member_avatars/2025/08/15/2025-08-15t103839720z-download-2025-08-15-16-08-42.png )
New Update
અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ
વોર્ડ નંબર 3માં કરાશે વિકાસના કામો
રૂ.40 લાખનો ખર્ચ કરવામાં આવશે
વિવિધ સોસાયટીઓમાં બનશે માર્ગ
પ્રમુખ લલિતાબહેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ત્રણમાં આવેલ ભદ્રલોક સોસાયટી, શ્રીનાથ પાર્ક વચનામૃત રેસીડેન્સી અને વિરાટ નગરમાં રૂપિયા 40 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા,સ્થાનિક નગરસેવકો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/10/08/guj-2025-10-08-21-54-55.jpg)
LIVE