અંકલેશ્વર:બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે કથાકાર ઇન્દ્રેશ મિશ્રા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બાપુ નગરમાં શ્રીમદ ભાગવત કથા યોજાય

  • સંકટ મોચન હનુમાન મંદિરે કથાનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

  • પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Advertisment W3.CSS
અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે કથાકાર ઇન્દ્રેશ મિશ્રા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પટાંગણમાં તારીખ-છઠ્ઠી ફેબ્રુઆરીથી ૧2મી ફેબ્રુઆરી સુધી  શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર ઇન્દ્રેશ મિશ્રા  અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ઉજવવવામાં આવ્યા હતા. આવતીકાલે હોમાત્મક યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.હનુમાન મંદિરમાં 31માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.