અંકલેશ્વર:બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે કથાકાર ઇન્દ્રેશ મિશ્રા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બાપુ નગરમાં શ્રીમદ ભાગવત કથા યોજાય

  • સંકટ મોચન હનુમાન મંદિરે કથાનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

  • પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે કથાકાર ઇન્દ્રેશ મિશ્રા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પટાંગણમાં તારીખ-છઠ્ઠી ફેબ્રુઆરીથી ૧2મી ફેબ્રુઆરી સુધી  શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર ઇન્દ્રેશ મિશ્રા  અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ઉજવવવામાં આવ્યા હતા. આવતીકાલે હોમાત્મક યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.હનુમાન મંદિરમાં 31માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.