અંકલેશ્વર: શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને અંકલેશ્વર નોટિફાઈડ એરીયામાં કાર્યરત ૭૦ જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભીત રથોનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

New Update

આવતીકાલે જન્માષ્ટમીના પર્વની ઉજવણી

અંકલેશ્વરમાં ભવ્ય આયોજન

સરદાર પટેલ સેવા સમાજ દ્વારા દ્વારા આયોજન કરાયું

ભવ્ય શોભા યાત્રા નિકળશે

મોટી સંખ્યામાં લોકોને જોડાવા આમંત્રણ

અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં  જન્માષ્ટમી પર્વ નિમિતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતીકી સંસ્કૃતિ, અધ્યાત્મનો સુભગ સમનવ્ય થકી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રથયાત્રાનું પ્રતિ વર્ષ આયોજન કરતા આવે છે.જેના ભાગરૂપે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને અંકલેશ્વર નોટિફાઈડ એરીયામાં કાર્યરત ૭૦ જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભીત રથોનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
નોટિફાઈડ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર ધજા તોરણોનુ સુશોભન કરવામાં આવી રહ્યુ છે.આગામી ૨૬મી ઓગસ્ટના રોજના બપોરે ૧ કલાકથી શોભાયાત્રાનો પ્રારંભ થશે જે રહેણાંક વિસ્તારના વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે.આ અંગે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત,ઉપપ્રમુખ સી. કે પટેલ,અગ્રણીઓ સુરેશ દેવાણી, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલએ આયોજનની રૂપરેખા આપી હતી.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના વધવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરાયુ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ

New Update
IMG-20250714-WA0015

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના વઘવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગના ડો.મનીષ શર્મા અને ડો.સુનીતા ડોહાન દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

IMG-20250707-WA0138

જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મુલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.અસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની તથા યોગ-પ્રાણાયમ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી.