અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરના કોસમડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો 

New Update

અંકલેશ્વરના કોસમડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો 

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઠેરઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના કોસમડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે અશોક મહતો,સોનુ મૌર્ય, સંદીપ ડી.પાટીલ સહિત શિવ ભક્તો દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભુ દેવ શિવરામ પાંડે અને રમાકાંત પાંડેએ શાસ્ત્રોકત વિધિ અનુસાર  શિવપાર્થિવનું પૂજન કરાવ્યુ હતું.આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Latest Stories