અંકલેશ્વર ગડખોલ પાટિયાના વેલકમ નગર ખાતે અનુપમ સત્સંગ મંડળ દ્વારા રજત મહોત્સવની ઉજવણી

શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update

ગડખોલ પાટિયાના વેલકમ નગર ખાતે કાર્યક્રમ યોજાયો

પ.પૂ. અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્યની વિશેષ ઉજવણી

અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષની કરાય ભવ્ય ઉજવણી

રજત મહોત્સવમાં મોટી સંખ્યામાં આમંત્રિતોની ઉપસ્થિતિ

ભક્તિના રસમાં ભીંજાય ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ નગર સોસાયટી ખાતે અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ નગર સોસાયટી ખાતે શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંતોના દિવ્ય સાનિધ્યમાં આયોજિત અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભજન કીર્તન સહિત મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાનો સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત તમામ ભક્તો ભક્તિના રસમાં ભીંજાય ધન્યતાનો અનુભવ કર્યો હતો.

 

Latest Stories