અંકલેશ્વર: SOGએ ગોયા બજારમાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ

અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળ થ્રિ વહીલ ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચાણ માટે આવેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જીની ટીમે દરોડા પાડ્યા હતા.

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં પાડ્યા દરોડા

  • શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો

  • 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

  • રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં દાતાર સ્ક્રેપ નામની દુકાન પાસે થ્રિ વહીલ ટેમ્પોમાંથી શંકાસ્પદ લોખંડ સળિયા મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળ થ્રિ વહીલ ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચાણ માટે આવેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જીની ટીમે દરોડા પાડ્યા હતા.
પોલીસને સ્થળ પરથી ટેમ્પોમાં ભરેલ 250 કિલો ગ્રામ લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે ટેમ્પોમાં સવાર ચાર ઇસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે હસ્તી તળાવ સીધેશ્વર સોસાયટીમાં રહેતો ધર્મેન્દ્ર છીતેન જેસવાલ,અબ્દુલ મજીદ શેખ, કિરણ વસાવા અને જસવંત જેન્તી વસાવાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.