અંકલેશ્વર : સલામત સવારી’વાળી ST બસ વરસાદી પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકેમેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ચક્કાજામથી મુક્ત થઈને  સર્વિસ રોડ પરથી પસાર થતી એસટી. બસ પાણીમાં ફસાઈ હતીજેના કારણે મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરવાની ઘટના પ્રકાશમાં આવી છેત્યારે વરસાદને પગલે 24 કલાકથી ટ્રાફિકજામની સ્થિતી પણ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર પાણીએ જમાવટ કરતાં વાહનોની કતાર લાગી છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી. બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના ડેસ્ટિનેશન સુધી સુનિશ્ચિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પિરામણ ગામથી આમલાખાડી પાસેના માર્ગથી પસાર થઇ હતી. જોકેત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીમાં બસ ફસાવવાના કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદી પાણીમાં ફસાયેલી એસટી. બસને JCB મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.