અંકલેશ્વર : સલામત સવારી’વાળી ST બસ વરસાદી પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકેમેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ચક્કાજામથી મુક્ત થઈને  સર્વિસ રોડ પરથી પસાર થતી એસટી. બસ પાણીમાં ફસાઈ હતીજેના કારણે મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

Advertisment

ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરવાની ઘટના પ્રકાશમાં આવી છેત્યારે વરસાદને પગલે 24 કલાકથી ટ્રાફિકજામની સ્થિતી પણ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર પાણીએ જમાવટ કરતાં વાહનોની કતાર લાગી છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી. બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના ડેસ્ટિનેશન સુધી સુનિશ્ચિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પિરામણ ગામથી આમલાખાડી પાસેના માર્ગથી પસાર થઇ હતી. જોકેત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીમાં બસ ફસાવવાના કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદી પાણીમાં ફસાયેલી એસટી. બસને JCB મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment