અંકલેશ્વર : સલામત સવારી’વાળી ST બસ વરસાદી પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકેમેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ચક્કાજામથી મુક્ત થઈને  સર્વિસ રોડ પરથી પસાર થતી એસટી. બસ પાણીમાં ફસાઈ હતીજેના કારણે મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરવાની ઘટના પ્રકાશમાં આવી છેત્યારે વરસાદને પગલે 24 કલાકથી ટ્રાફિકજામની સ્થિતી પણ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર પાણીએ જમાવટ કરતાં વાહનોની કતાર લાગી છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી. બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના ડેસ્ટિનેશન સુધી સુનિશ્ચિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પિરામણ ગામથી આમલાખાડી પાસેના માર્ગથી પસાર થઇ હતી. જોકેત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીમાં બસ ફસાવવાના કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદી પાણીમાં ફસાયેલી એસટી. બસને JCB મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Latest Stories