અંકલેશ્વર: ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, હેલ્થ અને એન્વાયરમેન્ટ વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો !

અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે એ.આઈ.એ હોલ ખાતે સફેટી વિષય પર રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • એ.આઈ.એ.ઓડીટોરીયમ ખાતે આયોજન

  • સેફટી વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો

  • અંકલેશ્વર ઉદ્યોગ મંડળનો સહયોગ સાંપડ્યો

  • સેફટી વિભાગના કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે એ.આઈ.એ હોલ ખાતે સફેટી વિષય પર રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
ઔદ્યોગિક એકમોમાં બનતા વારંવારના અકસ્માતોને રોકવા માટે અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રીઝર્વેશન સોસાયટી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા એ.આઈ.એ. ઓડિટોરિયમ ખાતે એચ.એસ.ઇ એટલે કે હેલ્થ,સેફટી અને એન્વાયરમેન્ટ વિષય પર રાજ્યકક્ષાના જનજાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે જ સેફટીના સાધનોનું એક્ઝિબિશન પણ યોજાયું હતું.
આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટર પી.એમ. શાહ,કોલાઇઝર લાઇફ સાયન્સ કંપનીના દેવેન્દ્ર કુમાર,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રીઝર્વેશન સોસાયટીના અતુલ બુચ, ઉદ્યોગ અગ્રણી એન.કે. નાવડીયા, અશોક પંજવાણી, નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચાર સેશનમાં યોજાયેલા સેમિનારમાં અંકલેશ્વર ઝઘડીયા, પાનોલી સહિતની ઔદ્યોગિક વસાહતની કંપનીઓના સેફટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને તજજ્ઞોએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર : મેઘરાજાના ગાજવીજ સાથે આગમન બાદ મહાવીર ટર્નીંગથી લઈને વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,

New Update
  • અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો

  • ચોમાસાની વિધિવત શરૂઆત

  • કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા

  • વરસાદ સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાય

  • મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક  

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,જ્યારે ટ્રાફિક જામથી પણ વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.

અંકલેશ્વર પંથકમાં સોમવારની બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,જેના કારણે લોકોએ બફારાથી રાહત મેળવી હતી,જોકે એક તરફ જ્યાં વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી,અને વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

વાલિયા ચોકડી વાહનોની અવરજવરથી સતત ધમધમે છે.પરંતુ વાહન ચાલકોની વધુ પડતી ઉતાવળ અને ચોકડી પરથી હેલા નીકળી જવાની જીદના કારણે પણ વાહનો આડા અવળા ઘુસી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાય રહ્યો હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે.અને સર્જાતો ચક્કાજામ પોલીસ માટે પણ સરદર્દ સમાન બની રહ્યો છે.