/connect-gujarat/media/media_files/3Zs5R8xsgKSoS4QXcOHG.png)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન બાદ મહિલા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરતાં તબીબોનો આભાર માન્યો હતો.
ભરૂચના રહેવાસી દર્દી સાયરાબાનુને મોતિયા અને નેત્રપટલ (કોર્નિયા)ની ખામીના કારણે છેલ્લા 10 વર્ષથી બંને આંખોથી અંધ દર્દીએ દ્રષ્ટિ પાછી મેળવવા ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી અને સારવાર કરાવી હતી. પરંતુ કોઈ પરિણામ ન મળતા, દર્દી અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં આંખોના રોગના નિષ્ણાંત ડૉ. તૃપ્તિ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો. દર્દી ઓપરેશન પહેલા રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા ન હતા, અને અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું. ડૉ. તૃપ્તિ ગુપ્તાની સલાહ પ્રમાણે દર્દી ઓપરેશન માટે તૈયાર થયા, અને ઘણા જટિલ આવા ટ્રિપલ પ્રક્રિયાના ઓપરેશન કે જેમાં મોતિયા, IOL અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન સફળતા પૂર્વક કરી દ્વારા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે.
આ સંપૂર્ણ ઓપરેશન જયાબેન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટ મિશન આઈ અને લેપ્રોસી અંતર્ગત તદ્દન મફત કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વર્ષ-2026 સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ, અને 2026 સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય. દર્દી સાયરાબાનુ ઓપરેશન બાદ બધું જોઈ શકે છે, અને રોજબરોજની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે. મફત સારવાર બદલ દર્દી વતી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી દેલિવાલા અને નેત્ર રોગના નિષ્ણાત ડૉ. તૃપ્તિ ગુપ્તાનો આભાર વક્ત કરવામાં આવ્યો હતો.