અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન બાદ મહિલા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરતાં તબીબોનો આભાર માન્યો હતો.

New Update
modi hosp

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન બાદ મહિલા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરતાં તબીબોનો આભાર માન્યો હતો.

Advertisment

ભરૂચના રહેવાસી દર્દી સાયરાબાનુને મોતિયા અને નેત્રપટલ (કોર્નિયા)ની ખામીના કારણે છેલ્લા 10 વર્ષથી બંને આંખોથી અંધ દર્દીએ દ્રષ્ટિ પાછી મેળવવા ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી અને સારવાર કરાવી હતી. પરંતુ કોઈ પરિણામ ન મળતાદર્દી અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં આંખોના રોગના નિષ્ણાંત ડૉ. તૃપ્તિ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો. દર્દી ઓપરેશન પહેલા રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા ન હતાઅને અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું. ડૉ. તૃપ્તિ ગુપ્તાની સલાહ પ્રમાણે દર્દી ઓપરેશન માટે તૈયાર થયાઅને ઘણા જટિલ આવા ટ્રિપલ પ્રક્રિયાના ઓપરેશન કે જેમાં મોતિયા, IOL અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન સફળતા પૂર્વક કરી દ્વારા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે.

આ સંપૂર્ણ ઓપરેશન જયાબેન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટ મિશન આઈ અને લેપ્રોસી અંતર્ગત તદ્દન મફત કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વર્ષ-2026 સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએઅને 2026 સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય. દર્દી સાયરાબાનુ ઓપરેશન બાદ બધું જોઈ શકે છેઅને રોજબરોજની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે. મફત સારવાર બદલ દર્દી વતી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી દેલિવાલા અને નેત્ર રોગના નિષ્ણાત ડૉ. તૃપ્તિ ગુપ્તાનો આભાર વક્ત કરવામાં આવ્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment
Latest Stories