અંકલેશ્વર: સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા આયોજન

  • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

Advertisment
સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદના મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા ઉપયોગી છે તે અંગેની માહિતી આપવામા હતી. રામકૃષ્ણ મિશન આશ્રમ કલકત્તાના પ્રમુખ સ્વામી શુધ્ધિદાનંદજીએ આ સેમિનારમાં વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ચેરમેન હિંમત સેલડીયા, સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી ડો.હરેશ શાહ, કે શ્રી વત્સન ગીતાબહેન શ્રી વત્સન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : હાંસોટ રોડ આમલાખાડી પાસે વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ

અંકલેશ્વરના ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર આમલાખાડી પાસે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરમાં વિદેશી દારૂનો કરાયો નાશ

  • ચાર પોલીસ મથકમાં ઝડપાયો હતો દારૂ

  • 34 લાખના દારૂનો કરાયો નાશ

  • રોડ રોલર ફેરવીને બોટલોનો નાશ કર્યો

  • 126 ગુનામાં 21 હજારથી વધુ બોટલો કરાઇ હતી જપ્ત 

Advertisment

અંકલેશ્વર ડિવિઝનના ચાર પોલીસ મથકમાં 126 પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા 34 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર શહેર અને ડિવિઝન ,રૂરલ અને જીઆઇડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આમલાખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાનાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા,મામલતદાર કરણસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.આ દારૂનો નાશ સમયે નશાબંધી અધિકારી એ.બી.ગણાવા સહિત ચાર પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment