અંકલેશ્વર: સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા આયોજન

  • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

Advertisment
સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદના મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા ઉપયોગી છે તે અંગેની માહિતી આપવામા હતી. રામકૃષ્ણ મિશન આશ્રમ કલકત્તાના પ્રમુખ સ્વામી શુધ્ધિદાનંદજીએ આ સેમિનારમાં વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ચેરમેન હિંમત સેલડીયા, સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી ડો.હરેશ શાહ, કે શ્રી વત્સન ગીતાબહેન શ્રી વત્સન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન, VHPએ સ્થાપનાના 6 દાયકા પૂર્ણ કર્યા

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન

  • સ્થાપના દિવસની ઉજવણી કરાય

  • ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા
વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરમાં શંભુ ડેરી નજીક આવેલ રેવા સેવા સમન્વય  સમિતિ સંઘ કાર્યાલય  ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે 
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ,મુક્તેશ્વર સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ,વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે. 
#Bharuch #CGNews #Foundation Day #VHP #Vishwa Hindu Parishad #Satyanarayana Katha
Latest Stories