અંકલેશ્વર: સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા આયોજન

  • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદના મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા ઉપયોગી છે તે અંગેની માહિતી આપવામા હતી. રામકૃષ્ણ મિશન આશ્રમ કલકત્તાના પ્રમુખ સ્વામી શુધ્ધિદાનંદજીએ આ સેમિનારમાં વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ચેરમેન હિંમત સેલડીયા, સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી ડો.હરેશ શાહ, કે શ્રી વત્સન ગીતાબહેન શ્રી વત્સન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ

વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.....

New Update
Sodgam
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરા કરતો વિડીયો વાયરલ થતા ખેડૂતોમાં ભયનો માહોલ ભરૂચના વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.આ દીપડો ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં આંટા ફેરા કરતો વિડીયો આજરોજ સામે આવ્યો છે.ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તે જરૂરી છે.