અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત ગોષ્ઠિ-વાર્તાલાપ યોજાયો

રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન ગોષ્ઠિ-વાર્તાલાપનું આયોજન કરાયું હતું જેમાં અંગદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

New Update

રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન ગોષ્ઠિ-વાર્તાલાપનું આયોજન કરાયું હતું જેમાં અંગદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અંકલેશ્વર શહેરમાં આવેલ જી.ઈ.બી ઓફિસની સામેના શેઠના હોલ ખાતે અંગદાનનું મહત્વ અને તેનાથી અનેક વ્યક્તિઓને જીવનદાન આપી શકાય તે અંગે અંગદાન મહાદાનનાં પથદર્શક દિલીપ દેશમુખની ગોષ્ઠિ- વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દિલીપભાઈએ અંગદાનથી બચેલી જિંદગીનાં અનેક ઉદાહરણો આપ્યાં હતાં.આ કાર્યકમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનીલ નેવે, નાગરિકો અને પોલીસ વિભાગના અનેક કર્મચારીઓ જોડાયા હતા
Latest Stories