New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
મામલતદાર કચેરી ખાતે આયોજન
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
કલેકટર ગૌરાંગ મકવાણા રહ્યા ઉપસ્થિત
7 પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં અરજદારોના કુલ 7 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લાકક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકાકક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના 7 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.આ કાર્યક્રમ માં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories