અંકલેશ્વર: સજોદ ગામ સ્થિત મહાભારત કાળના વાળીનાથ મંદિરે ચૈત્ર મહિનામાં ભક્તોની ભારે ભીડ, ઠંડુ ભોજન આરોગવાની છે માન્યતા

ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે.

New Update
  • અંકલેશ્વરના સજોદ ગામે આવેલું છે મંદિર

  • વાળીનાથ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર

  • ચૈત્ર માસમાં ઉમટે છે ભક્તોની ભારે ભીડ

  • ઠંડુ ભોજન આરોગવાની છે પરંપરા

  • અસાધ્ય ચર્મ રોગ દૂર કરવા ભક્તો રાખે છે બાધા

Advertisment W3.CSS
ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે. ખાસ કરી લોકો પોતાના ચર્મ રોગ દૂર થવાની મનોકામના સાથે બાધા રાખે છે અને ઠંડુ ભોજન આરોગે છે.
અંકલેશ્વરની ભૂમિ ભગવાન રામના વનવાસ સાથે સંકળાયેલ છે. જેમ વડોદરાનું પોર, સુરતનું શિયાદલા અને અંકલેશ્વરના સજોદ સ્થિત વાળીનાથ દાદાનો ઈતિહાસ પણ સર્વ સામાન્ય રીતે જોડાયેલો છે. સજોદ સ્થિત વાળીનાથ મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અસાધ્ય મનાતા વિવિધ ચર્મ રોગને દૂર કરવા બાધા અને માનતા અહી આવી પૂર્ણ કરતા હોય છે.જેમાં ઘરેથી આગલા દિવસે જમવાનું બનાવી લાવી અહી ટાઢું જમતા હોય છે. પહેલા જર્જરિત અવસ્થામાં મંદિર હતું જેનો હવે જીર્ણોદ્ધાર કરી નવું બનાવામાં આવ્યું છે.મંદિરે દર્શન કરવા આવતા લોકો નજીકના કુવામાંથી પાણી ભરી લાવી પહેલા મંદિરના પગથીયા ધોતા હોય છે ત્યાર બાદ મંદિરમાં દર્શન કરતા હોય છે.આ મંદિર મહાભારત કાળનું હોવાની માન્યતા છે જે ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે
Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.

New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

Advertisment W3.CSS

પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

માય થેલીની થીમ પર કાર્યક્રમની ઉજવણી

પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા અપાયું પ્રોત્સાહન

બહેનોએ કાર્યક્રમમાં લીધો ભાગ 

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.
ભરૂચ નગરપાલિકા, NULM તથા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી."માય થેલી – પ્લાસ્ટિક બેગને ના કહો" થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડાંમાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃવાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે.આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઉભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી.