New Update
-
અંકલેશ્વરના સજોદ ગામે આવેલું છે મંદિર
-
વાળીનાથ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
-
ચૈત્ર માસમાં ઉમટે છે ભક્તોની ભારે ભીડ
-
ઠંડુ ભોજન આરોગવાની છે પરંપરા
-
અસાધ્ય ચર્મ રોગ દૂર કરવા ભક્તો રાખે છે બાધા
ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે. ખાસ કરી લોકો પોતાના ચર્મ રોગ દૂર થવાની મનોકામના સાથે બાધા રાખે છે અને ઠંડુ ભોજન આરોગે છે.
અંકલેશ્વરની ભૂમિ ભગવાન રામના વનવાસ સાથે સંકળાયેલ છે. જેમ વડોદરાનું પોર, સુરતનું શિયાદલા અને અંકલેશ્વરના સજોદ સ્થિત વાળીનાથ દાદાનો ઈતિહાસ પણ સર્વ સામાન્ય રીતે જોડાયેલો છે. સજોદ સ્થિત વાળીનાથ મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અસાધ્ય મનાતા વિવિધ ચર્મ રોગને દૂર કરવા બાધા અને માનતા અહી આવી પૂર્ણ કરતા હોય છે.જેમાં ઘરેથી આગલા દિવસે જમવાનું બનાવી લાવી અહી ટાઢું જમતા હોય છે. પહેલા જર્જરિત અવસ્થામાં મંદિર હતું જેનો હવે જીર્ણોદ્ધાર કરી નવું બનાવામાં આવ્યું છે.મંદિરે દર્શન કરવા આવતા લોકો નજીકના કુવામાંથી પાણી ભરી લાવી પહેલા મંદિરના પગથીયા ધોતા હોય છે ત્યાર બાદ મંદિરમાં દર્શન કરતા હોય છે.આ મંદિર મહાભારત કાળનું હોવાની માન્યતા છે જે ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે
Latest Stories