અંકલેશ્વર: ફાર્મા કંપની સાથે રૂ.1.65 કરોડની છેતરપિંડી આચરનાર મુખ્યસૂત્રધારની મુંબઈથી ધરપકડ

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકા રામ નારાયણ ચૌરસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Suyog Life Sciences Pvt. Ltd.
અંકલેશ્વરની ફાર્મા કંપની પાસે રૂ.1.65 કરોડનો બલ્ક ડ્રગ્સનો જથ્થો  લઇ પેમેન્ટ ન ચુકવી છેતરપીંડી આચરનાર મુંબઈના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની ફાર્મા કંપની દ્વારા મુંબઈ સ્થિત ચાર કંપનીઓને બલ્ક ડ્રગનો ૧.૬૫ કરોડ ઉપરાંતનો માલસામાન આપ્યા બાદ અપાયેલ માલસામાનનુ પેમેન્ટ ન આપવાના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈથી એક કંપનીના માલિક સહીત બેની અટકાયત કરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાઈન્સ પ્રા.લી.પાસેથી મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો.જેની કુલ કિંમત રૂ.એક કરોડ છોત્તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો પંચોતેર થતી હતી.તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યુ હતુ. જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી જેથી પેમેન્ટનુ ચુકવણુ થયુ નહોતુ.
અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. દરમ્યાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ મામલે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકા રામ નારાયણ ચૌરસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read the Next Article

ભરૂચ : બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઝારેશ્વર અનુભૂતિધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ ખાતે કરાયું આયોજન

  • નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ હાજરી

  • મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજરોજ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડરાસ-ગરબા નૃત્ય નાટક સહિતના વિવિધ કાર્યોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.