અંકલેશ્વર: મહાવીર ટર્નિંગથી ONGC બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર,વાહનચાલકોને હાલાકી

માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે

New Update

અંકલેશ્વરના માર્ગો બન્યા બિસ્માર

મહાવીર ટર્નિંગ નજીકનો માર્ગ બિસ્માર બન્યો

ONGC બ્રિજને જોડે છે માર્ગ

વાહનચાલકોને ભારે હાલાકી

માર્ગના તાત્કાલિક સમારકામની માંગ

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઑ.એન.જી.સી.ને જોડતા ઓવર બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અંકલેશ્વર પંથકમાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે અનેક માર્ગો બિસ્માર બન્યા છે.ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઑ.એન.જી.સી.ને જોડતા ઓવર બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.

ખાડોને પગલે કમર દુખાવા સહિતની પીડાઓ ઉદભવી રહી હોવાની બુમરાણ પણ ઉઠવા પામી છે.ત્યારે ચોમાસા પહેલા જ ખાડા પુરી રોડ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું.પરંતુ ફરી આ માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે.તેવામાં તંત્ર આ ખાડાઓનું પુરાણ કરાવે તે અત્યંત જરૂરી છે.

Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.