New Update
-
અંકલેશ્વર જીઆઇડીસીમાં ચોરીનો બનાવ
-
કોહાઈજન લાઈફ સાયન્સ કંપનીમાં ચોરી
-
તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા
-
રૂ.18 હજારના માલમત્તાની ચોરી
-
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કોહાઈજન લાઈફ સાયન્સ લીમીટેડ કંપનીની દીવાલ કુદી પ્રવેશ કરી અજાણ્યા ઈસમો કોપર વાયરો મળી ૧૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કોહાઈજન લાઈફ સાયન્સ લીમીટેડ કંપનીમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે.જે પ્લાન્ટમાં કંપનીની દીવાલ કુદી પ્રવેશ કરી અજાણ્યા ઈસમો ખુલ્લામાં રહેલ કોપર કેબલ મળી કુલ ૧૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે કંપનીના એસોસિએટ ડાયરેકટર રીતેશ અમરજીત ધીરએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories