અંકલેશ્વર: JCI દ્વારા ટ્રેડ એન્ડ ફન ફેરનો પ્રારંભ,તા. 29મી ડિસે.સુધી આયોજન

ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • JCI દ્વારા આયોજન કરાયું

  • ટ્રેડ એન્ડ ફન ફેરનો પ્રારંભ કરાયો

  • મામલતદાર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

  • તા.29મી ડિસે.સુધી ચાલશે ફેર

જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે 22માં જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે ટ્રેડ ફન ફેરનું મામલતદાર કરણસિંહ રાજપૂત,જે.સી.આઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રીબીન કટિંગ દ્વારા 23મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફન ફેરને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી,પ્રોજેક્ટ ચેરમેન જે.સી.ભાવિન હિરાણી અને સેકેટરી અનીલ નાદર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.