New Update
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
જીઆઇડીસી વિસ્તારમાં આયોજન
તિરંગા યાત્રાનું આયોજન કરાયું
મોટી સંખ્યામાં લોકો જોડાયા
સેનાના પરાક્રમને બિરદાવવામાં આવ્યું
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા અંકલેશ્વર જીઆઈડીસીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. વીર જવાનોનાં શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે.જેના ભાગરૂપે અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,નોટીફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના ભાજપના આગેવાનો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા જીઆઇડીસીનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને ભારતીય સેનાના શૌર્યને વંદન કરીને બિરદાવવામાં આવ્યું હતું.
Latest Stories