અંકલેશ્વર: NH 48 પર અકસ્માતોના પગલે બે કટ બંધ કરાતા નજીકના ગ્રામજનોને હાલાકી

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વર નજીક હાઇવે પર અકસ્માતોની વણઝાર

  • હાઇવે પર 2 કટના કારણે અકસ્માતોની સંખ્યા વધી

  • તંત્ર દ્વારા બન્ને કટ બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કરી સ્થળ મુલાકાત

  • NHAIના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નના નિરાકરણના કર્યા પ્રયાસ

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિકોની રજૂઆતને લઇ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુલાકાત કરી હતી.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી હતી જેને પગલે તંત્ર દ્વારા આ કટ માટી નાખી તેમજ રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યા હતા જેને કારણે માંડવા તેમજ રાજપીપળા ચોકડી સુધીના ફેરાવાને પગલે આજુબાજુના ગામના લોકો સહીત ટ્રાન્સપોર્ટ ઓફીસ સંચાલકો હેરાન પરેશાન બન્યા હતા.આ અંગે સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરતા જ ધારાસભ્ય સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસના પી.આઈ ભાવનાબેન મહેરિયા, સ્થાનિક ગામના સરપંચો તેમજ NHAIના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવા સુચના આપી હતી.સર્વિસ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એ સહિતની સૂચના ધારાસભ્ય દ્વારા તંત્રના અધિકારીઓને આપવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ: જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર, ખાતરની અછતના પગલે ભૂમિપુત્રોને મુશ્કેલી

ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે..

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર

  • ખાતરના અપૂરતા જથ્થાના કારણે મુશ્કેલી

  • ધારાસભ્યની રજુઆત બાદ ખાતરનો થોડો જથ્થો આવ્યો

  • પ્રશ્નના નિરાકરણની ખેડૂતોની માંગ

ભરૂચનો જંબુસર તાલુકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. જંબુસરના 80થી વધુ ગામોના ખેડૂતો ખેતીમાં કપાસ તુવેર તેમજ દિવેલાનું વાવેતર કરે છે. હાલમાં ખેતીલાયક વરસાદ થતાં કપાસના છોડને યુરિયા ખાતરની જરૂર પડે છે. તેનો વિકાસ જલ્દી થાય તે માટે પરંતુ ઘણા સમયથી જરૂરિયાત કરતા ઓછું ખાતર આવવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે અને પાકને નુકસાન થાય છે ત્યારે ખેડૂતોએ ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી દીધી હતી.
છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ સર્જાતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ખાતરનો કેટલોક  જથ્થો આવ્યો હતો જેનું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ તરફ જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હતો. હાલ એક એક ખેડૂત દીઠ 5 ગુણનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.