અંકલેશ્વર: NH 48 પર અકસ્માતોના પગલે બે કટ બંધ કરાતા નજીકના ગ્રામજનોને હાલાકી

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વર નજીક હાઇવે પર અકસ્માતોની વણઝાર

  • હાઇવે પર 2 કટના કારણે અકસ્માતોની સંખ્યા વધી

  • તંત્ર દ્વારા બન્ને કટ બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કરી સ્થળ મુલાકાત

  • NHAIના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નના નિરાકરણના કર્યા પ્રયાસ

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિકોની રજૂઆતને લઇ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુલાકાત કરી હતી.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી હતી જેને પગલે તંત્ર દ્વારા આ કટ માટી નાખી તેમજ રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યા હતા જેને કારણે માંડવા તેમજ રાજપીપળા ચોકડી સુધીના ફેરાવાને પગલે આજુબાજુના ગામના લોકો સહીત ટ્રાન્સપોર્ટ ઓફીસ સંચાલકો હેરાન પરેશાન બન્યા હતા.આ અંગે સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરતા જ ધારાસભ્ય સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસના પી.આઈ ભાવનાબેન મહેરિયા, સ્થાનિક ગામના સરપંચો તેમજ NHAIના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવા સુચના આપી હતી.સર્વિસ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એ સહિતની સૂચના ધારાસભ્ય દ્વારા તંત્રના અધિકારીઓને આપવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.