અંકલેશ્વર: અકસ્માતના 2 અલગ અલગ બનાવોમાં બે આશાસ્પદ યુવાનોના મોત, એકને ઇજા

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.

New Update
a

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.

અંકલેશ્વરના અંદાડા ગામની નર નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા ૪૮ વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું વેચાણ કરવા માટે ગતરોજ સવારે ઝઘડિયા તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વરના મોતાલી પાટિયા પાસે સહયોગ હોટલની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રવિભાઈની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ સવારનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જયારે સંજાલી ગામમાં ભાડેથી રહેતા ૩૦ વર્ષીય રામ વિલાસ ધનશ્યામ ગોંડ પોતાના રૂમ ઉપર રહેતા મંગેશ રાજભરને કોસંબા ખાતે મુકવા માટે બાઈક લઇને બંને સાથે નીકળ્યા હતા તે દરમિયાન પાનોલી ઓવર બ્રીજ પાસે પાનોલી તરફના છેડા નજીક બાઈક સવાર બંને યુવાનો ઘોડા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રોડ ઉપર પટકાતા રામ વિલાસ ગોંડનું માથું ફૂટી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મંગેશ રાજભરને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Latest Stories