અંકલેશ્વર: અકસ્માતના 2 અલગ અલગ બનાવોમાં બે આશાસ્પદ યુવાનોના મોત, એકને ઇજા

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.

New Update
a

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.

Advertisment
અંકલેશ્વરના અંદાડા ગામની નર નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા ૪૮ વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું વેચાણ કરવા માટે ગતરોજ સવારે ઝઘડિયા તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વરના મોતાલી પાટિયા પાસે સહયોગ હોટલની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રવિભાઈની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ સવારનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જયારે સંજાલી ગામમાં ભાડેથી રહેતા ૩૦ વર્ષીય રામ વિલાસ ધનશ્યામ ગોંડ પોતાના રૂમ ઉપર રહેતા મંગેશ રાજભરને કોસંબા ખાતે મુકવા માટે બાઈક લઇને બંને સાથે નીકળ્યા હતા તે દરમિયાન પાનોલી ઓવર બ્રીજ પાસે પાનોલી તરફના છેડા નજીક બાઈક સવાર બંને યુવાનો ઘોડા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રોડ ઉપર પટકાતા રામ વિલાસ ગોંડનું માથું ફૂટી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મંગેશ રાજભરને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment