અંકલેશ્વર: VHP દ્વારા સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત સફાઈ કામદારોનું કરાયુ સન્માન

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.ભીમરામ આંબેડકરની જન્મ જયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • સફાઈ કામદારોનું સન્માન કરાયુ

  • આંબેડકર જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.ભીમરામ આંબેડકરની જન્મ જયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સફાઈ કામદારોના પગ ધોવામાં આવ્યા હતા અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉંચ-નીચમાં માનતા ન હતા ત્યારે તેમના આદર્શોને સાર્થક કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વી.એચ.પી.ના અજય મિશ્રા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર:પીરામણ પ્રાથમિક શાળામાં 6 વર્ષના બાળક પર લોખંડનો રેક પડતા મોત નિપજ્યું

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

New Update
  • અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળાનો બનાવ

  • 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું

  • રમી રહ્યો હતો એ દરમ્યાન લોખંડનો રેક પડ્યો

  • ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષીય બાળકે  જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પીરામણમાં રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો છ વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાય લોખંડનો રેક અચાનક જ ધારાશયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી.આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. બાળકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ પીરામણમાં જ આવેલ એચ.એમ.પી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોકે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળામાં રમી રહેલા બાળકનું લોખંડનો રેક પડતા મોત નિપજ્યું હતું ત્યારે શાળાસંચાલકોની બેદરકારી સામે આવી છે.આ તરફ 6 વર્ષના લાડકવાયાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.