અંકલેશ્વર: VHP દ્વારા સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત સફાઈ કામદારોનું કરાયુ સન્માન

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.ભીમરામ આંબેડકરની જન્મ જયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • સફાઈ કામદારોનું સન્માન કરાયુ

  • આંબેડકર જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.ભીમરામ આંબેડકરની જન્મ જયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સફાઈ કામદારોના પગ ધોવામાં આવ્યા હતા અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉંચ-નીચમાં માનતા ન હતા ત્યારે તેમના આદર્શોને સાર્થક કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વી.એચ.પી.ના અજય મિશ્રા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટમાંથી રૂ.1.73 લાખનો વિદેશી દારૂ ઝડપવાના મામલામાં ફરાર 2 આરોપીઓની ધરપકડ

બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 819 નંગ બોટલ મળી કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ

New Update
lcb
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હાંસોટ પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરી. ગત તારીખ-7મી મેના રોજ હાંસોટના અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મોટા બજારમાં આવેલ હાફીઝ ઇલેક્ટ્રીકલ્સ નામની દુકાન સામે આવેલ પડતર ખંડેર જેવી દુકાનમા બીજા માળે સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 819 નંગ બોટલ મળી કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી  અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાને ઝડપી પાડ્યો હતો.આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ ઉટીયાદરા ગામની નવી નગરીમાં રહેતો અજય વસાવા અને અન્ય બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવાની અંકલેશ્વર સબજેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.