New Update
-
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
-
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો
-
સફાઈ કામદારોનું સન્માન કરાયુ
-
આંબેડકર જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.ભીમરામ આંબેડકરની જન્મ જયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સફાઈ કામદારોના પગ ધોવામાં આવ્યા હતા અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉંચ-નીચમાં માનતા ન હતા ત્યારે તેમના આદર્શોને સાર્થક કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વી.એચ.પી.ના અજય મિશ્રા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.