અંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં પડેલ ભંગાણના કારણે 6 દિવસ બાદ પાણી છોડાયુ,ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ

સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી

New Update

સુરતના માંડવી નજીક ઉકાઈ કેનાલમાં પડ્યું હતું ભંગાણ

Advertisment

ભંગાણનું સમારકામ પૂર્ણ કરાયુ

6 દિવસથી કેનાલમાં પાણી કરાયુ હતું બંધ

હવે કેનાલમાં પાણી છોડાયું

ખેડૂતોને સાંપડી રાહત

અંકલેશ્વર હાસોટ તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી છે.
Advertisment
અંકલેશ્વર અને હાંસોટ તાલુકાને પીવાનું તથા સિંચાઇનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં સુરતના માંડવી પાસે ભંગાણ સર્જાયું હતું. સુરત નજીક બનેલી ઘટનાની અસર  અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં જોવા મળી હતી.કેનાલમાં ભંગાણ પડ્યા બાદ તેમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું.
ડેમની રોટેશન પૉલિસી પ્રમાણે અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતોને અપાતું પાણી 6 દિવસ સુધી બંધ રહ્યું હતું પરંતુ હવે માંડવી નજીક નહેરનું સમારકામ પૂર્ણ થતાં પુન: પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.એન.પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ 70થી 80 ટકા જેટલું પાણી છોડવામાં આવ્યું છે આગામી 1-2 દિવસમાં પૂરતા પ્રમાણમાં અંકલેશ્વર હાંસોટના ખેડૂતોને પાણી મળી રહેશે. આકરી ગરમીને ધ્યાને લઇ પાણીની જરૂરિયાતને જોતા ખેડૂતોને પાણીની અછત ન રહે એ માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Advertisment
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અંકલેશ્વર પાસેની ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાકરોલ ગામ પાસે કેમિકલ માફિયાઓએ દૂષિત પાણી ઠાલવી દેતાં 3 દિવસ સુધી કેનાલ બંધ રહી હતી અને હવે ફરી 6 દિવસ કેનાલ બંધ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ઉનાળામાં ખેડૂતોને સમયસર પાણી મળી રહે એ જરૂરી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment