New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
9 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા
તમામ પ્રશ્નોનો કરાયો નિકાલ
પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ
અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 9 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લાકક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકાકક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 9 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યો હતો જે તમામ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
Latest Stories