New Update
-
અંકલેશ્વરમાં 27 ગ્રામપંચાયતોની ચૂંટણી
-
27 પૈકી 4 ગ્રામપંચાયત સમરસ જાહેર
-
23 ગ્રામપંચાયતમાં ખેલાશે ચૂંટણી જંગ
-
12 ગ્રામપંચાયતો સંવેદનશીલ
-
ઉમેદવારો પ્રચાર કાર્યમાં જોડાયા
અંકલેશ્વર તાલુકામાં 27 પૈકી 4 ગ્રામપંચાયત સમરસ જાહેર થઈ છે ત્યારે 23 ગ્રામપંચાયતોમાં ચૂંટણીનો જંગ ખેલાશે.23 પૈકી 12 ગ્રામ પંચાયતને તંત્ર દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 51 અને સભ્યપદ માટે 318 ફોર્મ ભરાયા હતા.11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. જેમાં અંકલેશ્વરના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે.મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે.
આ ઉપરાંત હવે આગામી 20 જૂનના રોજ 23 પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ વચ્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ ઉમેદવારો પોતાની પેનલ સાથે પ્રચાર પ્રસાર શરુ કર્યો છે. 27 ગ્રામ પંચાયતમાં કુલ 58,400 મતદારો નોંધાયા છે. જેમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 27 પંચાયત પૈકી 12 ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.ચૂંટણી વિભાગ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.