અંકલેશ્વર: કુલ 23 ગ્રામપંચાયતોમાં ચૂંટણીનો જંગ ખેલાશે, 4 ગ્રામપંચાયત સમરસ જાહેર

અંકલેશ્વરના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે.મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે.

New Update
  • અંકલેશ્વરમાં 27 ગ્રામપંચાયતોની ચૂંટણી

  • 27 પૈકી 4 ગ્રામપંચાયત સમરસ જાહેર

  • 23 ગ્રામપંચાયતમાં ખેલાશે ચૂંટણી જંગ

  • 12 ગ્રામપંચાયતો સંવેદનશીલ

  • ઉમેદવારો પ્રચાર કાર્યમાં જોડાયા

અંકલેશ્વર તાલુકામાં  27 પૈકી 4 ગ્રામપંચાયત સમરસ જાહેર થઈ છે ત્યારે  23 ગ્રામપંચાયતોમાં ચૂંટણીનો જંગ ખેલાશે.23 પૈકી 12 ગ્રામ પંચાયતને તંત્ર દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 51 અને સભ્યપદ માટે 318 ફોર્મ ભરાયા હતા.11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. જેમાં અંકલેશ્વરના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે.મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે.
આ ઉપરાંત હવે આગામી 20 જૂનના રોજ 23 પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ વચ્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ ઉમેદવારો પોતાની પેનલ સાથે પ્રચાર પ્રસાર શરુ કર્યો છે. 27 ગ્રામ પંચાયતમાં કુલ 58,400 મતદારો નોંધાયા છે. જેમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 27 પંચાયત પૈકી 12 ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.ચૂંટણી વિભાગ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.