અંકલેશ્વર: કુલ 23 ગ્રામપંચાયતોમાં ચૂંટણીનો જંગ ખેલાશે, 4 ગ્રામપંચાયત સમરસ જાહેર

અંકલેશ્વરના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે.મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે.

New Update
  • અંકલેશ્વરમાં 27 ગ્રામપંચાયતોની ચૂંટણી

  • 27 પૈકી 4 ગ્રામપંચાયત સમરસ જાહેર

  • 23 ગ્રામપંચાયતમાં ખેલાશે ચૂંટણી જંગ

  • 12 ગ્રામપંચાયતો સંવેદનશીલ

  • ઉમેદવારો પ્રચાર કાર્યમાં જોડાયા

અંકલેશ્વર તાલુકામાં  27 પૈકી 4 ગ્રામપંચાયત સમરસ જાહેર થઈ છે ત્યારે  23 ગ્રામપંચાયતોમાં ચૂંટણીનો જંગ ખેલાશે.23 પૈકી 12 ગ્રામ પંચાયતને તંત્ર દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 51 અને સભ્યપદ માટે 318 ફોર્મ ભરાયા હતા.11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. જેમાં અંકલેશ્વરના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે.મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે.
આ ઉપરાંત હવે આગામી 20 જૂનના રોજ 23 પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ વચ્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ ઉમેદવારો પોતાની પેનલ સાથે પ્રચાર પ્રસાર શરુ કર્યો છે. 27 ગ્રામ પંચાયતમાં કુલ 58,400 મતદારો નોંધાયા છે. જેમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 27 પંચાયત પૈકી 12 ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.ચૂંટણી વિભાગ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.