અંકલેશ્વર: દીવા રોડ પર યોગ બોર્ડની મહિલાઓની ગાંધીગીરી, તંત્ર ઉણું ઉતરતા જાતે જ સ્પીડ બ્રેકર પર કર્યું કલરકામ !

અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરીમાં નગર સેવા સદન દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં દાંડી રોડનું નવનિર્માણ

  • માર્ગના કામમાં બેદરકારીના આક્ષેપ

  • યોગ બોર્ડની મહિલાઓની ગાંધીગીરી

  • સ્પીડ બ્રેકર પર જાતે જ કર્યું કલરકામ

  • અનોખી રીતે વિરોધ નોંધાવ્યો

અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરીમાં નગર સેવા સદન દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી. નવનિર્મિત માર્ગ પર બમ્પર પર સૂચક પટ્ટા ન હોવાથી થતા અકસ્માતો ટાળવા મહિલાઓ દ્વારા જાતે જ કલરકામ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રૂપિયા 28 લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ ક્વોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા સાથે જ ધૂળ ઉડતા સ્થાનિકો તેમજ આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા હતા ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડની મહિલાઓ દ્વારા આજરોજ ગાંધીગીરી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ટ્રાફિકને અડચણ ન પહોંચે તે રીતે માર્ગ પર રહેલ ડસ્ટ સાફ કરવામાં આવી હતી સાથે જ બમ્પર પર કલર કામ પણ કરવામાં આવ્યું હતું.આ અંગે યોગ બોર્ડના હેનીબહેન ચૌહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નગરસેવા સદન દ્વારા આ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે અને જે એજન્સીએ કામ કર્યું છે તેણે કામ અધૂરી મૂકી દીધું છે ત્યારે એજન્સીના પૈસા કાપી તેને બિલનું ચૂકવવું થવું જોઈએ.
આ અંગે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દાંડી માર્ગની કામગીરી હજુ બાકી છે. ડામર રોડનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેના પર સાફ-સફાઈ કરી ફરીથી તેના પર ડામર પાથરવામાં આવશે અને ત્યારબાદ બમ્પર છે તેના પર કલર પટ્ટા લગાવવામાં આવશે.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.