અંકલેશ્વર: પાનોલી GIDCમાં નહેરમાં ડૂબી જતા યુવાનનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

પાનોલીમાં નહેરમાં ડૂબી જતા 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ.પાનોલી પોલીસે ફાયર ફાઈટરોની મદદથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી

New Update
  • અંકલેશ્વરના પાનોલીનો બનાવ

  • નહેરમાં ડૂબી જતાં યુવાનનું મોત

  • 27 વર્ષીય યુવાનનું મોત નિપજયું

  • ફાયર ફાયટરોએ મૃતદેહ બહાર કાઢ્યો

  • પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં ડૂબી જતા 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ.પાનોલી પોલીસે ફાયર ફાઈટરોની મદદથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારની નહેરમાં યુવાનના ડૂબી જવાની ઘટના સામે આવી છે. પાનોલીના મહારાજા નગર નજીક આવેલ નહેરમાં 27 વર્ષીય રાહુલ ઠાકોર નામના યુવાનનો પગ લપાસતા તે નહેરના પાણી ગરકાવ થઈ ગયો હતો.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ નહેરમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ અંગેની જાણ થતા પાનોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. યુવાનનું નહેરમાં પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.