અંકલેશ્વર: કુખ્યાત બુટલેગરે બે અલગ અલગ સ્થળોએ સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણે સંતાડી રાખેલ ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળને ઝડપી પાડ્યો હતો.

New Update
a

અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણે સંતાડી રાખેલ ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણ અને કસ્બાતીવાડના લીમડી ફળિયામાં રહેતો તુફેલ સલીમ મલેકે વિદેશી દારૂનો જથ્થો મંગાવી કાગદીવાડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસેના બે જુના મકાનની બાજુની દીવાલ નજીક ખુલ્લામાં લાવી સંતાડી રાખેલ છે.અને તુફેલ મલેક તેની દેખરેખ રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે રખેવાળ તુફેલ ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૦૯૦ નંગ બોટલ મળી કુલ ૨.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો 
જયારે આવી જ રીતે ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકએ ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લીન ટેક કંપનીની સામે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.અને મહમદ અશદ અસ્લમ શેખ તેમજ અરબાઝ અસ્લમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં રહેતો મહમદ અશદ અસ્લમ શેખને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : ઉદ્યોગ મંડળની ચૂંટણીનો ધમધમાટ,સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
  • ઉદ્યોગ મંડળની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

  • 20 જૂને યોજાશે મતદાન અને ગણતરી

  • 10 બેઠકો પર 20 ઉમેદવારો વચ્ચે જંગ

  • સહયોગ અને વિકાસ પેનેલ વચ્ચે ચૂંટણી જંગ

  • અસ્તિત્વ અને પ્રતિષ્ઠા માટેનો ચૂંટણી જંગ 

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ યોજાશે.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારો મતદાન કરશે.

ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.અંકલેશ્વર વસાહતના 1300 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે.અને ખાલી પડતી બેઠકો માટે ચૂંટણી યોજાય છે.

AIA સંકુલ ખાતે ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે અને નિર્વિઘ્ને પાર પાડવા માટે મંડપ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે,તો ઉમેદવારોએ પણ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કા સુધીના પ્રયાસો સતત ચાલુ રાખ્યા છે.ઉદ્યોગમંડળમાં હાલમાં સત્તાના સુકાન સંભાળનાર સહયોગ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેનો જંગ છે,તો સતત બે વર્ષથી ઉદ્યોગ મંડળમાં પોતાની દાવેદારી મજબૂત કરતા વિકાસ પેનેલ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનાં જંગ સમાન બની રહેશે.