અંકલેશ્વરમાં ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

New Update

અંકલેશ્વરમાં BTTWAની સાધારણ સભા યોજાઈ  

ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિ 

ટ્રાન્સપોર્ટરો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત  

પરિવહનને લગતા પ્રશ્નોની કરવામાં આવી ચર્ચા 

ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈની પણ ઉપસ્થિતિ 

અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર ભાવના મહેરિયા,ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ગુજરાત પ્રભારી સંદીપ શર્મા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જયભગવાન બલહારા,સહિતના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર્ટ ઉપસ્થિત રહ્યા હતા,આ સાધારણ સભા દરમિયાન ટ્રાન્સપોર્ટરોને કનડગતા પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.   
Read the Next Article

ભરૂચ: કતોપોર દરવાજા વિસ્તારમાં વૃક્ષ જર્જરીત મકાન પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

New Update
gar

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

વૃક્ષ નજીકમાં આવેલા જર્જરીત મકાન પર ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતા જ નગરસેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં નગરસેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે.