ભરૂચ: ST વિભાગમાં 358 કંડકટરોને નિમણુંક પત્રો એનાયત કરાયા, 125 મહિલા કંડકટરોનો પણ સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. વિભાગમાં 2320 નવા કંડકટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે 358 કંડકટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે...

New Update
  • ભરૂચ એસ.ટી.વિભાગમા ભરતી

  • 358 કંડકટરોની ભરતી કરાય

  • નવા જોડાયેલ કંડકટરોને નિમણુંક પત્રો અપાયા

  • 125 મહિલા કંડકટરોનો પણ સમાવેશ

  • એસ.ટી.ના અધિકારીઓ-કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચ એસ.ટી.વિભાગમાં નવા જોડાનાર  358 કંડક્ટરોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે એસ.ટી.ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. વિભાગમાં 2320 નવા કંડકટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે 358 કંડકટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ પૈકી 200 કંડકટરોએ હાજર રહી જવાબદારીઓ સંભાળવા તૈયાર થયા છે. તેમને એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંડકટરની કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અલગ-અલગ ડેપોમાં 125 જેટલી મહિલા કંડકટરોની નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ડિવિઝનલ કંટ્રોલ હેડ આર.પી. સિરમલિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે નવા કંડકટરોની નિમણૂકથી એસ.ટી. સેવામાં વધુ ગતિ આવશે અને મુસાફરોને પણ સારો અનુભવ પ્રાપ્ત થશે.
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.