ભરૂચ-અંકલેશ્વરમાં  50 જેટલા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઈજાગ્રસ્ત, 9 પક્ષીના મોત

પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા

New Update
  • ઉતરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની

  • ભરૂચ અંકલેશ્વરમાં 50 જેટલા પક્ષી ઘવાયા

  • 9 પક્ષીના મોત નિપજ્યા

  • વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાએ જીવ બચાવવા કર્યા પ્રયાસ

ભરૂચ-અંકલેશ્વરમાં  50 જેટલા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી 9 પક્ષીના મોત નિપજ્યા હતા માનવીઓ માટેની ઉતરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.
પતંગના દોરાના કારણે અકસ્માત અને ઈજાઓ અટકાવવા અદાલત, સરકાર અને જીવદયા પ્રેમી સંસ્થાઓએ અનેક પ્રયાસ હાથ ધર્યા હતા. ચાઈનીઝ અને કાચવાળા દોરાનો વપરાશ ન થાય તે માટે ગુજરાત હાઇકોર્ટે પણ કડક સૂચનાઓ આપી હતી. ભરૂચ- અંકલેશ્વરમાં આ પ્રયાસો વચ્ચે પણ પક્ષીઓની ઇજાના મામલા સામે આવ્યા છે. ભરૂચ-અંકલેશ્વરમાં અંદાજિત ૫૦થી વધુ  ઈજાગ્રસ્ત પક્ષી મળી આવ્યા હતા.આ પક્ષીઓ હાલમાં સારવાર હેઠળ છે.
Read the Next Article

ભરૂચ: અનરાધાર વરસાદમાં વાલિયાના ડહેલી ગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝન ધોવાયું, વાહનચાલકો અટવાયા

નેત્રંગ પાસેનું ડાઈવર્ઝન સહિત વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદીનું ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયું હતું.જેને કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો

New Update
  • ભરૂચના વાલિયામાં ધોધમાર વરસાદ

  • ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા

  • ડહેલી ગામ નજીકનું ડાયવર્ઝન ધોવાયું

  • કિમ નદીના પાણી ફરી વળ્યાં 

ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદી પરનું ડાઈવર્ઝન ધોવાઈ જતા ભારે વાહનો ચાલકો અટવાઈ પડ્યા હતા. ભરૂચના વાલિયા તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઈ ગયા છે.જેને કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે નેત્રંગ-વાલિયા માર્ગ ઉપર ચંદેરીયા પાસેનું ડાઈવર્ઝન, મોરિયાણા, જુના નેત્રંગ પાસેનું ડાઈવર્ઝન સહિત વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદીનું ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયું હતું.જેને કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.તો બીજી તરફ વાલિયા પોલીસ દ્વારા વાહન ચાલકો હેરાન પરેશાન નહીં બને તે માટે વિવિધ પોઇન્ટ પર ખડેપગે ફરજ અદા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.