ભરૂચ-અંકલેશ્વરમાં  50 જેટલા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઈજાગ્રસ્ત, 9 પક્ષીના મોત

પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા

New Update
  • ઉતરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની

  • ભરૂચ અંકલેશ્વરમાં 50 જેટલા પક્ષી ઘવાયા

  • 9 પક્ષીના મોત નિપજ્યા

  • વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાએ જીવ બચાવવા કર્યા પ્રયાસ

ભરૂચ-અંકલેશ્વરમાં  50 જેટલા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી 9 પક્ષીના મોત નિપજ્યા હતા માનવીઓ માટેની ઉતરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.
પતંગના દોરાના કારણે અકસ્માત અને ઈજાઓ અટકાવવા અદાલત, સરકાર અને જીવદયા પ્રેમી સંસ્થાઓએ અનેક પ્રયાસ હાથ ધર્યા હતા. ચાઈનીઝ અને કાચવાળા દોરાનો વપરાશ ન થાય તે માટે ગુજરાત હાઇકોર્ટે પણ કડક સૂચનાઓ આપી હતી. ભરૂચ- અંકલેશ્વરમાં આ પ્રયાસો વચ્ચે પણ પક્ષીઓની ઇજાના મામલા સામે આવ્યા છે. ભરૂચ-અંકલેશ્વરમાં અંદાજિત ૫૦થી વધુ  ઈજાગ્રસ્ત પક્ષી મળી આવ્યા હતા.આ પક્ષીઓ હાલમાં સારવાર હેઠળ છે.
Read the Next Article

ભરૂચ:સામાજિક સેવાકાર્યો અર્થે ગરુડ સેનાની રચના, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા કરાશે પ્રયાસ

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સામાજિક સેવાના હેતુથી પ્રારંભ કરાયો

  • ગરુડ સેના નામના પ્રકલ્પનો પ્રારંભ

  • રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો કરાશે

  • સેજલ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ અને દાનુ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ કલ્યાણના કાર્યો હાથ ધરવાનો છે.ગરુડ સેના દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદોને મદદ, પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ ક્ષેત્રે સહાય, આરોગ્ય જાગૃતિ અને અન્ય સામાજિક કાર્યો કરવામાં આવશે. આ પહેલ દ્વારા  ભરૂચના નાગરિકોના સહયોગથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરાશે