ભરૂચ: સરકારી ઇજનેરી કોલેજ ખાતે 2 દિવસીય ટેક્નિકલ ફેસ્ટિવલ TECHTONICનો પ્રારંભ

ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે બે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજ 

  • ટેક્નિકલ ફેસ્ટિવલનો કરાયો પ્રારંભ

  • 1700 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે બે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર ઓ.એન.જી.સી,દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન,ડી-વિવિડ કન્સલ્ટન્ટ, કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ, પ્રિન્સ ઇલેક્ટ્રિકલ,એક્યુમેન સહિતના વિવિધ ઉદ્યોગો,સંસ્થાઓના સહયોગથી વિદ્યાર્થીઓના ટેક્નિકલ કૌશલ્ય, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજથી બે દિવસી ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો એચ.ઓ.ડી.,ઈ.સી.ના કન્વીનર પ્રોફેસર કે.જી. ભુવા અને આચાર્ય ડો. પ્રદીપ લોઢા અને ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત કે. શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં વિવિધ ૪૦ કોલેજોના ૧૭૦૦ વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.