ભરૂચ : ફલશ્રુતિનગરમાં ઇમારતની ગેલેરી તૂટી પડતાં 2 વાહનોને નુકશાન, 3 લોકોનો આબાદ બચાવ CCTVમાં કેદ

ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં 2 વાહનોને નુકશાન પહોચ્યું હતું.

New Update

શહેરના ફલશ્રુતિનગર વિસ્તારમાં બની હતી ઘટના

Advertisment

ઇમારતની ગેલેરીનો ભાગ અચાનક થયો ધરાશાયી

કાટમાળ તૂટી પડતાં 2 વાહનોને પહોચ્યું મોટું નુકશાન

દુકાન માલિક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ

ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં 2 વાહનોને નુકશાન પહોચ્યું હતું.

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ફલશ્રુતિનગરમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થઈને તૂટી પડ્યો હતોજ્યાં રોશની ઓપ્ટિક દુકાન નજીક પાર્ક કરેલ 2 ટુ વ્હીલર વાહનો કાટમાળ નીચે દબાઈ જતાં ભાંગી પડ્યા હતા. એકાએક ગેલેરીનો ભાગ તૂટી પડતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેઆજરોજ દુકાનનું રી-ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે દુકાનમાં લોકોની અવરજવર પણ વધુ હતી. તેવામાં દુકાન માલિક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકેગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ જવા પામ્યા હતા.

Advertisment

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment