ભરૂચ: મનુબર રોડ નજીક દારૂ ભરેલી કાર બગડી ગઈ, બિનવારસી હાલતમાં જ છોડી દેવાઈ !

ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો 

New Update
  • ભરૂચના મનુબર રોડનો બનાવ

  • બિનવારસી હાલતમાં કાર મળી આવી

  • સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી જાણ

  • કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

  • કાર બગડી જતા બિનવારસી છોડી દેવાય હોવાનું અનુમાન

ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ભરૂચમાં વાહનોથી ધમધમતા મનુબર રોડ વિસ્તારમાં બિનવારસી હાલતમાં ઇકો કાર મળી આવી હતી.સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા તેઓએ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.ગટરમાંથી  માનવ અંગો મળી આવવાની ઘટના બાદ ભરૂચ પોલીસ વધુ એલર્ટ છે ત્યારે ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસે વાહનને ખોલાવી તપાસ કરતા કારમાં દારૂની પેટીઓ નજરે પડી હતી.  દારૂ ભરેલી કાર બગડી જતા બિનવારસી  છોડી દેવાય હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.આ બાબતે પોલીસે કારના માલિક અને દારૂનો જથ્થો કોનો છે એ સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.