ભરૂચ: હાંસોટમાં પુર ઝડપે જઈ રહેલ કાર ધડાકાભેર વીજ પોલ સાથે ભટકાય,ચાલકને ઇજા

હાંસોટમાં કારને અકસ્માત નડ્યો હતો.અંકલેશ્વર હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલ કાર અચાનક વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો

New Update
Hansot Car Accident
ભરૂચના તાલુકા મથક હાંસોટમાં કાર ધડાકાભેર વીજપોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં કાર ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક આવેલ હાંસોટમાં કારને અકસ્માત નડ્યો હતો.અંકલેશ્વર હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલ કાર અચાનક વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.
Advertisment
વિજપોલ ધરશયી થઈ કાર પર જ પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો આ તરફ હાંસોટ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે..
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment