ભરૂચ: હાથીખાના વિસ્તારમાં બંધ જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી

હાથીખાના બજારમાં પરફેક્ટ ટ્રેલરની બાજુમાં એક જૂની મિલકત બંધ હાલતમાં છે.આજે બપોરના સમયે જર્જરિત બનેલું મકાન ધરાશાયી થતા આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ

New Update

ભરૂચના હાથીખાનામાં જર્જરિત મકાન ધરાશાયી

બંધ હાલતમાં રહેલુ મકાન ધરાશાયી થતા દોડધામ મચી 

મકાનનો કાટમાળ કાર પર પડતા નુકસાન 

સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા રાહત 

નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા જરૂરી કાર્યવાહી કરાઈ  

ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં સોમવારે બપોરના સમયે એક બંધ જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી.જોકે મકાન નીચે પાર્ક કરેલી કાર પર તેનો કાટમાળ પડતા કાર ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે જૂના ભરૂચમાં અનેક જૂના સમયના મકાનો આવેલા છે.પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ લોકો સોસાયટીમાં રહેવા જતાં તેઓના મકાનો આજે પણ બંધ હાલતમાં પડી રહ્યા છે. જેમાંથી અનેક મકાનો જર્જરિત થતાં ધરાશાયી થવાના બનાવો પણ બને છે. ભરૂચના હાથીખાના બજારમાં પરફેક્ટ ટ્રેલરની બાજુમાં એક જૂની મિલકત બંધ હાલતમાં છે.આજે બપોરના સમયે જર્જરિત બનેલું મકાન ધરાશાયી થતા આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

આ સમયે મકાનની નીચે પાર્ક કરવામાં આવેલી એક કારની ઉપર મકાનનો કાટમાળ પડતા કાર ચાલકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.જોકે આ મકાન મુખ્ય માર્ગને અડીને આવેલું હોય સદનસીબે કોઈ જાનહાની નહિ થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સ્થાનિક લોકોએ આ બાબતે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.અને કાટમાળને રસ્તા પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.