/connect-gujarat/media/media_files/Mr497RhED7dkdldTVW1a.png)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિરાણી શોપિંગમાં ખરીદેલ 2 દુકાનોના સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી રૂ. 1.32 કરોડનો ચૂનો ચોપડનાર પિતા-પુત્ર પૈકી પુત્રને ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં રહેતી રજિયા ઉસ્માન મન્સૂરીના પતિ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામગીરી કરતાં હતા. જેઓએ 4 વર્ષ પહેલા તેઓના મિત્ર અને બ્રિજનગરમાં રહેતા ઇઝહાર અહમદ સિદ્દીકી તેમજ તેના પુત્ર ઇસ્તેખાર ઇઝહાર સિદ્દીકીની માલિકીની અંકલેશ્વર શહેરના વિરાણી શોપિંગમાં દુકાન નં. એ-4 અને એ-5માં પંડિત એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ પર્સન હેઠળ ટુ વ્હીલર લે-વેચાણ કરતાં હતા.
જે દુકાનો વેચાણ કરવાના હોય, જે ખરીદવાનું ઉસ્માન મન્સૂરીએ નક્કી કરતાં રૂ. 1.20 કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો. જે માટે પ્રથમ રૂ. 97 લાખની ચૂકવવામાં આવ્યા હતા, અને બાકીના દસ્તાવેજ થયા બાદ આપવાનું અન્ય 2 મિત્રોની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ વર્ષ 2021માં રજિયા ઉસ્માન મન્સૂરીના પતિ અકસ્માતમાં પથારીવસ થતાં દોઢ માહિનામાં તેઓનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પત્નીએ બન્ને દુકાનોના દસ્તાવેજ અંગે આગળની કાર્યવાહી હાથ ધરતા દુકાનનો કબ્જો ધરાવતા બન્ને પિતા-પુત્રએ દુકાનના સોદાની મુદ્દત પૂર્ણ થઈ હોવા સાથે વધુ 35 લાખ રૂપિયાની માંગણી કરતાં વિધવા મહિલાએ રૂ. 35 લાખ જેટલી રકમ આપી હતી. જે બાદ પણ બન્ને ઇસમોએ મહિલાને દસ્તાવેજના વાયદા કરી રૂ. 1.32 કરોડ પડાવી ધાક-ધમકી આપી છેતરપિંડી કરતાં હતા. સમગ્ર મામલે મહિલાએ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ પુત્રની ધરપકડ કરી હતી, જ્યારે પિતાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.