-
ગામનો યુવાન ગામમાં જ રમશે’ તેવા આશય સાથે આયોજન
-
તવરા ગામે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ
-
જુના તવરા મંગલમંઠના મહંતના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ
-
લોકો એકબીજા પ્રત્યે આદર-સન્માન સાથે રહે તેવો શુભ આશય
-
મોટી સંખ્યામાં ગામના આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે મહાનુભાવોના હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હાલ ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં ખૂબ જ મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે. જેમાં શહેરીકરણના પણ મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે, લોકોમાં સમભાવ જળવાઈ રહે, લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તેવા હેતુથી જુના તવરા ગામના આગેવાન પરેશસિંહ અને અમિતસિંહ દ્વારા ગામના યુવાનો માટે અવાર નવાર વિવિધ કાર્યક્રમો થકી સુંદર આયોજન કરવામાં આવતા હોય છે.
તેવામાં આવનાર દિવસોમાં ઉનાળું વેકેશન દરમ્યાન તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી પરેશસિંહ અને અમિતસિંહ દ્વારા જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ગામમાં વસતા વિવિધ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી અહીં કિકેટ ટુર્નામેન્ટ યોજાશે, તથા નાઈટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાશે, ત્યારે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું જૂના તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ગામના આગેવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું