ભરૂચ : ગામનો યુવાન ગામમાં જ ક્રિકેટ રમે તેવા આશય સાથે જૂના તવરા ગામે ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું...

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે મહાનુભાવોના હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ગામનો યુવાન ગામમાં જ રમશે’ તેવા આશય સાથે આયોજન

  • તવરા ગામે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ

  • જુના તવરા મંગલમંઠના મહંતના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ

  • લોકો એકબીજા પ્રત્યે આદર-સન્માન સાથે રહે તેવો શુભ આશય

  • મોટી સંખ્યામાં ગામના આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા

Advertisment

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છેત્યારે મહાનુભાવોના હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

હાલ ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં ખૂબ જ મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે. જેમાં શહેરીકરણના પણ મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહેલોકોમાં સમભાવ જળવાઈ રહેલોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તેવા હેતુથી જુના તવરા ગામના આગેવાન પરેશસિંહ અને અમિતસિંહ દ્વારા ગામના યુવાનો માટે અવાર નવાર વિવિધ કાર્યક્રમો થકી સુંદર આયોજન કરવામાં આવતા હોય છે.

તેવામાં આવનાર દિવસોમાં ઉનાળું વેકેશન દરમ્યાન તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી પરેશસિંહ અને અમિતસિંહ દ્વારા જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ગામમાં વસતા વિવિધ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી અહીં કિકેટ ટુર્નામેન્ટ યોજાશેતથા નાઈટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાશેત્યારે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું જૂના તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ગામના આગેવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Advertisment
Read the Next Article

ભરૂચ : આમોદના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ...

આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • આમોદના તણછા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • અકસ્માત સર્જાતા 15થી વધુ લોકોને પહોચી ઇજા

  • ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

  • આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ આદરી

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસારભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઇવે નં. 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી. બસ નં. GJ-18 6594 અને આમોદ તરફથી આવતા ટ્રક નં. GJ-21 2873 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજિત 40થી 50 મુસાફરોમાંથી 15થી 20 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તો અને તેમના સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કેટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. તો બીજી તરફઆમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment