-
શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવની તૈયારી
-
5મી જાન્યુઆરીએ યોજાશે યુવા મહોત્સવ
-
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી યોજાઈ બાઈક રેલી
-
500 થી વધુ યુવાનો રેલીમાં જોડાયા
-
ધારાસભ્યએ બાઈક રેલીનું કરાવ્યું પ્રસ્થાન
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ધારાસભ્ય સહિતના આગેવાનોએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પાસેના ગ્રાઉન્ડમાં આગામી તારીખ 5મી જાન્યુઆરીના રોજ શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તે નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી હરિપ્રબોધમ્ યુવા જાગૃતિ રેલીનું આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ સાથે પર્યાવરણ જાળવણી, નારી સન્માન, સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરાયું હતું. આ રેલીને પૂજ્ય હરીશરણ સ્વામી,પૂ.ગુરુપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.બાઈક રેલીમાં 500 થી વધુ હરિ ભક્તો ધર્મ ધજાઓ સાથે જોડાયા હતા.આ હરિ પ્રબોધમ યુવા જાગૃતિ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શકિતનાથ સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ બાય રોડ સહિત વિવિધ વિસ્તારો માંથી પસાર થઈ આત્મીય સંસ્કાર ધામ ખાતે પૂર્ણ થઈ હતી.